બેન્કની સેવાકીય પ્રવૃત્તિઓ :
- બેન્કના 5 વર્ષ સુધી સતત સભાસદ રહ્યા હોય તેવા સભાસદના મૃત્યુ બાદ વારસદારને રૂ।. 10,000 / - મરણોત્તર સહાય આપવામાં આવે છે. જેનો દરેક મૈયત સભાસદોના વારસદારોને લાભ આપવામાં આવે છે, મૈયત થયે ત્રણ માસ સુધીમાં બેન્કને જાણ કરવાની રહેશે .
- દર વર્ષે બેન્કના સભાસદોના બાળકોને ધોરણ - 10 માં 80% અને 12 માં 70% અને તેથી વધારે માર્કસવાળા અને ગ્રેજયુએટ અને તેના ઉપરની ડીગ્રી તેમજ વિશિષ્ટ રાજ્ય અને કેન્દ્ર સ્તરે પ્રતિભા ધરાવનારને પ્રોત્સાહીત કરવાની યોજના અમલમાં છે.
- 31-3-2016 ના રોજ જે સભાસદ હોય તેમનો રૂ।. 50,000 / - ની રકમની વિમાની એક્સીડન્ટ પોલીસી બેન્ક તરફથી લેવામાં આવે છે.
- 31-3-16 ના રોજ જે બચત ખાતેદારો છે તેમનો રૂ।. 50,000 /- વીમા એક્સીડન્ટ પોલીસી શરોતોને આધિન લેવાય છે.
મહત્વની માહિતી રીઝર્વ બેન્કના આદેશ મુજબ :
- રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સૂચના અનુસાર તા. 31-3-16 ના રોજ પુરા થતા વર્ષ માટે મિલ્કતો સામેના સંભવિત જોખમોને પહોંચી વળવા પર્યાપ્ત મૂડીનું ધોરણ (CAPITAL TO RISK WEIGHTED ASSETS RATIO-CRAR) 9% હોવું જોઈએ જેના બદલે તા. 31-3-2014 ના રોજ મૂડી પર્યાપ્તાનું ધોરણ 26.94% છે જે બેન્કની સધ્ધરતાની નિશાની છે.
- MOVEMENT OF CRAR
# |
Year |
Ratio Required |
Actually Maintained |
1 |
31-3-2015 |
9% |
25.51% |
2 |
31-3-2016 |
9% |
20.34% |
- અ. રોકાણ : આપની બેન્કનું Govt. of India માં કુલ રોકાણ રૂ।. 24,88,02,855=00 કરેલ છે. તેનું 31-3-16 ના રોજ RBI ની Guideline મુજબ 23,88,02,855=00 Held to Maturity માં રાખેલ છે. જેની માર્કેટ વેલ્યુ 24,68,31,876=60 થાય છે. કાયદા મુજબ આ કેટેગરીમાં કોઈ પ્રોવિઝન જરૂરી નથી.